દ્રાવણો  MCQs

MCQs of દ્રાવણો

Showing 151 to 160 out of 198 Questions
151.
તાપમાન વધવાથી નીચેના પૈકી શું વધે ?
(a) હેન્રી અચળાંક KH નું મૂલ્ય
(b) વાયુરૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવાકમાં દ્રાવ્યતા
(c) હેન્રી અચળાંક KH નું મૂલ્ય અને વાયુરૂપ દ્રાવ્યની પ્રવાહી દ્રાવાકમાં દ્રાવ્યતા
(d) આમાંથી એક પણ નહિ.
Answer:

Option (a)

152.
હેન્રીના નિયમ અનુસાર, _____ .
(a) તાપમાન વધે તેમ KH નું મૂલ્ય વધે.
(b) તાપમાન વધતાં વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા ઘટે છે.
(c) દ્રાવણમાંના વાયુનું વિભાગીય દબાણ વાયુના મોલ-અંશના સમપ્રમાણમાં હોય છે.
(d) (a), (b) અને (c) ત્રણેય
Answer:

Option (d)

153.
273 K તાપમાને He વાયુના સંતૃપ્ત દ્રાવણમાં તેના મોલ-અંશ 2.4 x 10-3 હોય, તો દ્રાવણ પર He વાયુનું આંશિક દબાણ _____ બાર થાય. (હેન્રી અચળાંકનું મૂલ્ય 6.71 x 10-6 બાર છે.)
(a) 2.32 x 10-6
(b) 1.61 x 10-8
(c) 8.42 x 10-2
(d) 6.62 x 10-9
Answer:

Option (b)

154.
બાષ્પદબાણ પર અસર કરતું પરિબળ _____ છે .
(a) પ્રવાહીનો સ્વભાવ
(b) તાપમાન
(c) પ્રવાહીનું કદ
(d) (a) અને (b) બંને
Answer:

Option (d)

155.
બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો અબાષ્પશીલ દ્રાવ્યના મોલ-અંશ બરાબર હોય છે. - આ વિધાન ક્યા નિયમ તરીકે ઓળખાય છે ?
(a) રાઉલ્ટના નિયમ
(b) હેન્રીના નિયમ
(c) જૂલના નિયમ
(d) ડાલ્ટનના નિયમ
Answer:

Option (a)

156.
ઘટકો A અને B ધરાવતું દ્રાવણ રાઉલ્ટના નિયમને અનુસરે છે, તો _____ .
(a) A-A અને B-B કરતાં A-B આકર્ષણબળ વધારે છે.
(b) A-A અને B-B કરતાં A-B આકર્ષણબળ ઓછું છે.
(c) A-A અને B-B જેટલું A-B આકર્ષણબળ હોય છે.
(d) દ્રાવ્ય અને દ્રાવાકના કુલ કદ કરતાં દ્રાવણનું કદ જુદું હોય છે.
Answer:

Option (c)

157.
નીચેનાં વિધાનો માટે T(True) કે F(False) સંકેત વાપરીને યોગ્ય વિકલ્પ પસંદ કરો : (1) બાષ્પદબાણનો ઘટાડો દ્રાવ્યના મોલ-અંશ જેટલો હોય છે. (2) બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના સમ-પ્રમાણમાં હોય છે. (3) બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના જથ્થાના મોલ-અંશ બરાબર હોય છે. (4) દ્રાવણનું બાષ્પદબાણ દ્રાવકના મોલ-અંશ બરાબર હોય છે.
(a) TTFT
(b) FFTF
(c) FTTF
(d) TTFF
Answer:

Option (b)

158.
298 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.025 બાર છે. 298 K તાપમાને નીચેનાં દ્રાવણો બનાવવામાં આવે છે : (P) 178.2 ગ્રામ પાણીમાં 6 ગ્રામ યુરિયા (M=60) ઓગાળવામાં આવે છે. (Q) 179.82 ગ્રામ પાણીમાં 0.01 મોલ ગ્લુકોઝ ઓગાળવામાં આવે છે. (R) 179.1 ગ્રામ પાણીમાં 5.3 ગ્રામ Na2CO3 (M=106) ઓગાળવામાં આવે છે. દ્રાવણોના બાષ્પદબાણનો ચડતો યોગ્ય ક્રમ ઓળખો.
(a) (R), (P), (Q)
(b) (Q), (R), (P)
(c) (P), (Q), (R)
(d) (P), (R), (Q)
Answer:

Option (d)

159.
293 K તાપમાને પાણીનું બાષ્પદબાણ 0.023 બાર છે. જો 18 ગ્રામ ગ્લુકોઝને 178.2 ગ્રામ પાણીમાં 293 K તાપમાને ઓગાળવામાં આવે તો દ્રાવણનું બાષ્પદબાણ _____ થશે.
(a) 0.0228 બાર
(b) 0.0218 બાર
(c) 0.0180 બાર
(d) 0.0210 બાર
Answer:

Option (a)

160.
60 ગ્રામ યુરિયા (અણુભાર = 60) ને 9.9 મોલ પાણીમાં ઓગાળવામાં આવ્યું. જો શુદ્ધ પાણીનું બાષ્પદબાણ p0 હોય, તો દ્રાવણનું બાષ્પદબાણ _____ થાય.
(a) 0.10 p0
(b) 1.10 p0
(c) 0.90 p0
(d) 0.99 p0
Answer:

Option (c)

Showing 151 to 160 out of 198 Questions